પરેશ ગોસ્વામી વરસાદ અંગે શું કહે છે?
Paresh Goswami predict : હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં થતા ફેરફાર અને તાપમાન અંગેની માહિતી આપી છે. તેમણે આવનારા દિવસોમાં છૂટછવાયા વરસાદી ઝાપટાથી લઇને ચોમાસાની વિદાય પછીના પહેલાં માવઠા અંગે પણ આગાહી કરી છે.
આ પણ વાચો : ક્યાં ભાગોમાં થઈ ચોમાસાની વિદાય? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
હવે ચોમાસાની વિદાય ક્યારે થશે?
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ચૂકી છે. આ સાથે જ તાપમાનમાં વધારો થયો છે. લોકો ઉકળાટથી ત્રાસી રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં થતાં ફેરફાર અને તાપમાન અંગેની આગાહી કરવામાં આવી છે. તેમણે આવનારા દિવસોમાં છૂટછવાયા વરસાદી ઝાપટાથી લઇને ચોમાસાની વિદાય પછીના પહેલાં માવઠા અંગે પણ આગાહી કરી છે. તેમણે વાવાઝોડાની થઇ રહેલી વાતો અંગે પણ સ્પષ્ટતા કરી છે. ચાલો, જાણીએ તેમનું અનુમાન.
આ પણ વાચો : 7 થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું લેટેસ્ટ અનુમાન
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લીઇ ચૂક્યું છે, છતાં રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું હજી પણ સક્રિય છે. એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વિદાય લઇ લેશે.
આવનારા સમયમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા અંગે વાત કરતાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 9 ઓક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે. અત્યારે રાજ્ય પર ભેજ ચોક્કસ છે. ઊંચા તાપમાન અને ભેજને કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. કોઇ મોટા વરસાદની સંભાવનાઓ નથી.
પરેશ ગોસ્વામીની માવઠા અંગેની આગાહી – Paresh Goswami predict
ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં પહેલા માવઠાની સંભાવના અંગે વાત કરતાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 15 ઓક્ટોબર સુધી કોઇ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. કદાચ 15 ઓક્ટોબર પછી રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું થઇ શકે છે. જે 2024નું ચોમાસું પૂરું થયા પછીનું પહેલું માવઠું હશે. માવઠું થશે તો પણ રાજ્યના તમામ વિસ્તારોમાં નહીં હોય. માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઇ શકે છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની વાવાઝોડા અંગે મહત્વની આગાહી! ગુજરાતના કયા જીલ્લામાં વરસાદની શક્યતા?
તાપમાન અંગે પરેશ ગોસ્વામી શું કહે છે? – Paresh Goswami predict
હાલ તાપમાન વધતાં અને ભેજને કારણે ભારે ઉકળાટ અનુભવાઇ રહી છે. આવામાં તાપમાન અંગે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, તાપમાનની વાત કરીએ તો 32 થી લઇ 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. હજુ આવનારા દિવસોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચું જાય તેવી સંભાવનાઓ છે. અરબ સાગરનું તાપમાન પણ વધી રહ્યું છે. સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ઊંચું રહેશે.
પરેશ ગોસ્વામીની વાવાઝોડા અંગેની આગાહી -Paresh Goswami predict
ચોમાસાની વિદાય થતાંની સાથે જ વાવાઝોડાની ચર્ચાએ જોર પકડ્યું છે. આવામાં હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની ચર્ચાતી વાતો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, વાવાઝોડાની એક પ્રકારની અફવા છે. હજુ કોઇ જગ્યાએ વાવાઝોડું ઉત્પન્ન થાય તેવા કોઇ પરિબળો સક્રિય નથી.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લીઇ ચૂક્યું છે, છતાં રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું હજી પણ સક્રિય છે. એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વિદાય લઇ લેશે.