ચોમાસાની વિદાય વચ્ચે ઓક્ટોબરમાં આવનારા વાવાઝોડાની ગુજરાત પર શું કોઇ અસર થશે? જાણો અંબાલાલની પટેલની નવી આગાહી

ચોમાસાએ ક્યાં વિસ્તારોમાંથી વિદાય લીધી છે?

Ambalalani Patel : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના ભાગોમાં, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં ફેરફાર થશે અને વરસાદની પણ સંભાવનાઓ છે. જોકે હાલ વરસાદનું વાતાવરણ જોવા મળ્યું નથી.

આ પણ વાચો : હવે માવઠું કાઢશે વારો! ચોમાસાની વિદાય પછી પહેલા કમોસમી વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

12 થી 18 ઓક્ટોબરના રોજ વાવાઝોડું આવશે? – Ambalalani Patel

આગાહી દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં સક્રિય થતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની સંભાવના રહેશે. 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું ઉત્પન્ન થવાની સંભાવના છે.

વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે?

આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની સંભાવના ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના વિસ્તારોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું ઉત્પન્ન થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે. જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડાં બન્યા કરશે.

આ પણ વાચો : બે-બે વાવાઝોડા ગુજરાત પર કેવી અસર કરશે? અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી

હવામાન ખાતાની વરસાદ અંગેની આગાહી – Ambalalani Patel

જોકે હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ ગુજરાતમાં 13મી તારીખ સુધીમાં ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની કોઈ પણ આગાહી નથી. આખા રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવરાત્રિમાં વરસાદ ન પડવાના કારણે હાલ તો ખેલૈયાઓ આનંદથી અને ખુશીથી ગરબે ઝૂમી રહ્યા છે.

Ambalalani Patel

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
12 થી 18 ઓક્ટોબરના રોજ વાવાઝોડું આવશે?

12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું ઉત્પન્ન થવાની સંભાવના છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment