બે-બે વાવાઝોડા ગુજરાત પર કેવી અસર કરશે? અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી

Ambalal Patel Storm Forecast : ગુજરાતમાં હાલ તડકો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. તો બીજી બાજુ ઓડિશા, મેઘાલય, આસામ, તટીય કર્ણાટકના વિસ્તારો, તમિલનાડુ, કર્ણાટકના દક્ષિણ ભાગો, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ પડ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં હવામાનમાં ફેરફાર થશે અને વરસાદની પણ શક્યતા રહેલી છે.

આ પણ વાચો : ક્યાં ભાગોમાં થઈ ચોમાસાની વિદાય? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

અંબાલાલ પટેલની નવી આગાહી – Ambalal Patel Storm Forecast

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધી મોટો પલટો આવી શકે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે.

આ પણ વાચો : હવે માવઠું કાઢશે વારો! ચોમાસાની વિદાય પછી પહેલા કમોસમી વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

12 થી 18 તારીખમાં વાવાઝોડું આવશે! – Ambalal Patel Storm Forecast

અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં સક્રિય થતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે જણાવ્યું કે, 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ થશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ વધારે રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની સંભાવના ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની સંભાવના છે.

આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું બનશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ શકે છે. જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડાં સક્રિય થયા કરશે.

Ambalal Patel Storm Forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વાવાઝોડું કયારે આવશે?

12 થી 18 તારીખમાં વાવાઝોડું આવશે!

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment