12 થી 18 ઓક્ટોબરમાં વાવાઝોડું! અંબાલાલની ટેન્શન અપાવતી આગાહી

Ambalal cyclone forecast : ચોમાસાએ દેશના મોટાભાગના રાજ્યોમાંથી વિદાઈ લઈ લીધી છે, ત્યારે ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાઈ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા, મેઘાલય, આસામ, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ચોમાસું જતાં-જતાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ગરબાના રસિયાઓ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે.

આ પણ વાચો : હવે માવઠું કાઢશે વારો! ચોમાસાની વિદાય પછી પહેલા કમોસમી વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં હવામાનમાં ફેરફાર આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. જોકે હાલ વરસાદી વાતાવરણ છવાયું નથી.

12 ઓક્ટોબર સુધીમાં થઈ શકે છૂટોછવાયો વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. સાથે જ વાવાઝોડાની આગાહી અંગે તેમણે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં 12 ઓક્ટોબર સુધીમાં હલચલ થશે અને 14 થી 19/20 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. આ વાવાઝોડું ગંભીર વાવાઝોડું બનવાની પણ શક્યતા છે.

આ પણ વાચો : બે-બે વાવાઝોડા ગુજરાત પર કેવી અસર કરશે? અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી

દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની ભારે અસર! – Ambalal cyclone forecast

વાવાઝોડાની દિશા અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે, એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ જેટ ધારાના કારણે આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની સંભાવના છે. સાથે જ જે વિસ્તારોમાં વરસાદની જરૂર છે, એવા ભાગો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો થવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : ચોમાસાની વિદાય વચ્ચે ઓક્ટોબરમાં આવનારા વાવાઝોડાની ગુજરાત પર શું કોઇ અસર થશે? જાણો અંબાલાલની પટેલની નવી આગાહી

22 ઓક્ટોમ્બરે બીજું વાવાઝોડું? – Ambalal cyclone forecast

બંગાળની ખાડી અને અરબ સાગરમાં અસરના કારણે 16 થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો જોવા મળશે. આ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ તેમણે નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થઈ શકે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ શકે છે. જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડાં બન્યા કરશે.

Ambalal cyclone forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
બીજું વાવાઝોડું કયારે આવશે?

22 ઓક્ટોમ્બરે બીજું વાવાઝોડું આવશે

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment