હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની વરસાદ અને વાવાઝોડાને લઇને કરી મોટી આગાહી

ગુજરાતમાં વરસાદે વિદાય લઈ લીધી કે? – ambalal patel new prediction

ambalal patel new prediction : ગુજરાતમાં હાલ વરસાદે વિદાય લીધી છે. પરંતુ હજુ પણ વરસાદ આવવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં હવામાનમાં પલટો જોવા મળશે અને વરસાદની સંભાવના રહેવાની છે. તેમ છતાં હાલમાં વરસાદી માહોલ જોવા મળ્યો નથી.

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળવાની સંભાવના છે.

અંબલાલની વાવાઝોડા અંગેની મોટી આગાહી – ambalal patel new prediction

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં 12 ઓક્ટોબર સુધીમાં હલચલ જોવા મળવાની છે અને 14 થી 19-20 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું આવવાની સંભાવના રહેલી છે. આ વાવાઝોડું ગંભીર વાવાઝોડું પણ હોઈ શકે છે. તેની સાથે જ તેઓએ વાવાઝોડાની દિશાને લઈને જણાવ્યું છે કે, તે કઈ તરફ જશે એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ જેટ ધારાના લીધે આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફ જાય તેવી સંભાવના છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવાની સંભાવના છે

ગુજરાતમાં કયાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

તમને જણાવી દઈએ કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં અસરના લીધે 16 થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો જોવા મળશે. આ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમાં પણ અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થવાનું છે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળવાની છે.

તેમ છતાં હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 13 ઓક્ટોબર સુધીમાં ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે.

ambalal patel new prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં વરસાદે વિદાય લઈ લીધી કે?

ગુજરાતમાં હાલ વરસાદે વિદાય લીધી છે. પરંતુ હજુ પણ વરસાદ આવવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment