કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યારે થશે? પરેશ ગોસ્વામીએ જણાવી તારીખો

Heavy rain : હાલ ગુજરાતમાં ચોમાસું બેસી તો ગયુ છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું બેસવાની સાથે જ નબળું પડી ગયુ છે. જેના કારણે ગુજરાતમાં વરસાદની સક્રિયતા ઓછી જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું ફરી ક્યારે સક્રિય થશે તે અંગેની નવી આગાહી કરી છે. આ સાથે પરેશ ગોસ્વામી એ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે પણ માહિતી આપી છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના યુટ્યુબ ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની વાતકતા તેમણે જણાવ્યુ છે કે, આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું આવ્યું છે. જેમા આંદામાન નિકોબાર ટાપુ, કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું બેઠું છે. જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસીગયું છે. હવામાન વિભાગ તથા હવામાન જાણકારોએ 11 તારીખના રોજ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી ગયાની જાહેરાત કરી છે.

આ પણ વાચો : આગામી 24 કલાક ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?

ચોમાસુ બેસતાં જ નિષ્ક્રિય થયું!

આ સાથે પરેશ ગોસ્વામી એમ પણ જણાવ્યુ છે કે, ચોમાસું જેવું બેઠું કે તરત જ નિષ્ક્રિય થયું છે. આ પહેલા પણ અનેક વાર આવું જોવા મળ્યું છે કે, ગુજરાતમાં ચોમાસું આવે અને આવતાની સાથે નિષ્ક્રિય થઈ જતું હોય છે. જેને મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, હાલ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં 36થી 39 ડિગ્રી તાપમાન પહોંચી શકે અને પશ્ચિમના પવનો રહેશે. પવનની સ્પીડ 35 થી 40 કિમીની જોવા મળશે. હાલ જે આપણે ઉકળાટ, બફારો અને ગરમી છે તે પણ યથાવત જોવા મળી શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું નિષ્ક્રિય થશે? પરેશ ગોસ્વામી દ્વારા ચોંકાવનારી આગાહી કરાઈ

વરસાદને લઈ પરેશ ગોસ્વામીની આગાહી

Heavy rain : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ છે કે, ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડ્યાનાં સમાચાર મળ્યા છે.

ચોમાસુ ફરી ક્યારે સક્રિય થશે?

આ સાથે પરેશ ગોસ્વામી એ જણાવ્યુ છે કે, 20 જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. અહીં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂ રહેશે. 18 થી 20 જૂન આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થઈ શકે છે. આ દરમિયાન બંગાળની ખાડીમા નવો કરંટ જોવા મળશે અને 18 થી 20 જૂન આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના છે.

આ પણ વાચો : શું આટલા વરસાદમાં વાવણી કરવી કે નહીં? પરેશ ગોસ્વામીએ આગાહી સાથે આપી ખેડૂતોને સલાહ

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ શરૂ રહેશે. 18થી 20 તારીખમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે અને ફરીથી ધીમે ધીમે આગળ વધશે. આ ચોમાસું હાલ નિષ્ક્રિય સ્થિતિમાં છે. પરંતુ પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આપણે ડરવાની જરૂર નથી. આ વર્ષે ચોમાસું સારું જ રહેવાનું છે. એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

Heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચોમાસુ ફરી ક્યારે સક્રિય થશે?

18 થી 20 જૂન આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થઈ શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment